Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ અંબાજી ગબ્બર પર રોપ-વે સેવા 6 દિવસ માટે બંધ રહેશે



(જી.એન.એસ) તા. 28

પવિત્ર અંબાજી ગબ્બર પરની રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. વાર્ષિક મેન્ટનેન્સની કામગીરીને લઈ રોપ-વે સેવા બંધ કરવામાં આવશે. તારીખ 03/03/2025થી 08/03/2025 સુધી રોપ-વે રહેશે બંધ. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તો પગથિયા ચઢીને ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરી શકે છે. રોપ-વેની મેન્ટનેન્સ પ્રક્રિયા પરિપૂર્ણ થયા બાદ સેવા ફરી શરૂ કરવામાં આવશે.

અંબાજી ખાતે ગબ્બર પર્વત પર બિરાજમાન માતાજીના દર્શનાર્થે આવતા યાત્રિકો માટે મહત્વના સમાચાર છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન માટે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. રોપ-વેની વાર્ષિક જાળવણી અને સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

માતાજીના દર્શન કરવા આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની મેન્ટેનન્સ પ્રક્રિયા દરમિયાન, રોપ-વેના તમામ સાધનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને જરૂરી સમારકામ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે.જે યાત્રિકો ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા ઇચ્છે છે, તેઓ પગથિયાં ચઢીને જઈ શકે છે. યાત્રિકોની સુવિધા માટે પગથિયાં પર પીવાના પાણી અને આરામ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રોપ-વેની મેન્ટેનન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, યાત્રિકો માટે રોપ-વે સેવા ફરી શરૂ કરવામાં આવશે. યાત્રિકોને અસુવિધા માટે ખેદ છે.

संबंधित पोस्ट

નવસારીમાં ડ્રેનેજનો ખાળકૂવો બનાવતા બે મજૂરો ફસાયા

Gujarat Desk

મહારાષ્ટ્ર સરકાર મકરસંક્રાંતિ પર લાડલી બેહના ખાતામાં 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે, કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો

Gujarat Desk

ગાંધીનગર તાલુકામાં 1731 હેક્ટરમાં બટાકાની ખેતી . . . .

Admin

યુવા નેતૃત્વ વિકાસ માટે માય ભારતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ ફાઉન્ડેશન (SOUL) સાથે MoU પર હસ્તાક્ષર કર્યા

Gujarat Desk

કરદાતા સેવાઓના મહાનિર્દેશાલયે વિશ્વ બેંકના બિઝનેસ રેડી (બી-રેડી) પ્રોજેક્ટ પર CBIC અધિકારીઓ માટે માહિતીપ્રદ સત્રનું આયોજન કર્યું

Gujarat Desk

સુરતમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હાઈવોલ્ટેજ ડ્રામા

Gujarat Desk