Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વસૂલી અને ભ્રષ્ટાચાર યુક્ત સિનિયર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવાની માગ સાથે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

તાજેતરમાં રાજકોટના પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સામે ગેરકાયદેસર વસૂલી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે આ મામલે આમ આદમી પાર્ટી આક્ષેપ કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોઈપણ વિભાગમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થતું નથી અને ભ્રષ્ટાચાર જ વહીવટી કામો ના પર્યાય બની ગયો છે જનપ્રતિનિધિઓ દ્વારા ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી આ મામલે જુનાગઢ આમ આદમી પાર્ટીએ એસપી મારફત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ને આવેદનપત્ર આપી વસૂલી અને ભ્રષ્ટાચાર માં લિપ્ત પોલીસ અધિકારીઓની ડિસમિસ કરી તેની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી છે જુનાગઢ આમ આદમી પાર્ટીના આગેવાનો એ જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય દરવાજાથી રેલી કાઢી અને કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી કલેકટરને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક અસરથી રાજકોટ માં જે પોલીસ અધિકારીઓ પર આક્ષેપ થયા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગણી કરી છે સમગ્ર ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેના ભાગરૂપે જૂનાગઢ શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપી માંગ કરી છે

संबंधित पोस्ट

અમદાવાદ જિલ્લામાં 25થી વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ, 15થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

Karnavati 24 News

૨૦૨૨ વિધાનસભા નું ઈલેકશન : ખભે થી ખભો મિલાવીને સંગઠન મજબૂતાઈ સાથે તૈયારી કરશે

Karnavati 24 News

વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા 182ની જગ્યાએ 179 ધારાસભ્યો જ તસવીર ખેંચાવશે

Karnavati 24 News

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

દેવગઢબારીયા વિધાનસભા ચૂંટણી માટે ત્રી પાંખિયો જંગ જામવા ના એંધાણ : નેતાઓ લોકસપર્ક માં કાર્યરત.

Karnavati 24 News

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગે કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધશે

Karnavati 24 News