Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

બાવળાનાં ઢેઢાળમાં એક કેમિકલ ફેક્ટરીમાં 2 શ્રમિકનાં મોત થતાં ચકચાર મચી ગયો



બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી

(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

અમદાવાદના બાવળાની એક ખાનગી કેમિકલ કંપનીમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. બાવળા શહેરના ઢેઢાળ ગામમાં આવેલી શ્રી કેમિકલ્સ નામની ઈન્ડસ્ટ્રીઝમાં મિકેનિકલ ખામી સર્જાતા બે કર્મચારી કેમિકલ પ્લાન્ટના ટેન્કમાં ઉતર્યા હતા. આ સમયે ટેન્કમાં ગૂંગળામણ થતાં બે લોકોના મોત થયા છે.

ઘટના બનતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને બેભાન અવસ્થામાં બાવળાની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં હાજર ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

દૈનિક રાશિફળ (07/06/2025)

Gujarat Desk

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટિમીડિયા શૉ ‘નમોત્સવ’ને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિહાળ્યો

Gujarat Desk

અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા ફરી શરૂ કર્યા, સોશિયલ મીડિયા ચકાસણી માટે નવી આવશ્યકતા ઉમેરી

Gujarat Desk

દિલ્હી એરપોર્ટ પર ₹4.83 કરોડનું હાઇડ્રોપોનિક ગાંજું જપ્ત; મુસાફરની ધરપકડ

Gujarat Desk

આજ નું પંચાંગ (૨૧/૦૧/૨૦૨૬)

Gujarat Desk

ટક્કર વાગતાં જ બ્લાસ્ટ, એક પુરુષ અને એક મહિલા જીવતા ભડથુ થઇ ગયા

Gujarat Desk