Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

INDVsAUS: હાર પછી ટીમમાં બદલાવ નક્કી, શું રોહિત શર્મા રિસ્ક લેશે?

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ટી-20 મેચમાં નાગપુરમાં આજે ટકરાશે. મોહાલીમાં મળેલી પ્રથમ ટી-20 મેચમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં બદલાવ થઇ શકે છે. ભારત માટે આ કરો યા મરોનો મુકાબલો છે અને એક હાર થતા જ સીરિઝ પણ હાથમાંથી જતી રહેશએ. રોહિત શર્મા ટી-20માં પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ કરી શકે છે.

ભારતની પ્લેઇંગ ઇલેવનમાં એક બદલાવ થઇ શકે

ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં એક બદલાવ થઇ શકે છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પુરી રીતે ફિટ થઇ ગયો છે અને તે નાગપુરમાં રમશે. હવે સવાલ છે કે બુમરાહ ટીમમાં આવતા તેની જગ્યાએ કોને બહાર કરવામાં આવશે. ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવી શકે છે કારણ કે તે ટી-20 વર્લ્ડકપ સ્કવોર્ડનો ભાગ નથી અને હર્ષલ પટેલ ઓસ્ટ્રેલિયા જવાનો છે તો તેને જ તક મળશે.

બીજી તરફ રિષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સમાવવાની વાત પણ થઇ રહી છે. કાર્તિકને એક જ મેચમાં તક મળી છે અને તે ટીમ તેને વધુ તક આપવા માંગશે. મોહાલીમાં યુઝવેન્દ્ર ચહલની બોલિંગ પણ એવરેજ જોવા મળી હતી તો આર.અશ્વિનને તક મળી શકે છે. ભૂવનેશ્વર કુમારની જગ્યાએ દીપક ચહરને ટીમમાં તક આપવાની વાત થઇ રહી છે, જેમણે નાગપુરના મેદાન પર 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ચહરે બાંગ્લાદેશ વિરૂદ્ધ આ સિદ્ધિ મેળવી હતી એવામાં સવાલ છે કે શું રોહિત શર્મા દીપક ચહરને તક આપશે.

મહત્વપૂર્ણ છે કે મોહાલીમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. ભારતીય બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક/ રિષભ પંત, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ/ અશ્વિન

संबंधित पोस्ट

IPL 2022 તમામ ટીમોએ જાહેર કરી દીધા કેપ્ટન, આ બે ટીમોએ વિદેશી ખેલાડીને બનાવ્યા કેપ્ટન

Karnavati 24 News

IND Vs WI 2022: ભારતે ચોથી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 59 રનથી હરાવ્યુ, સીરિઝ 3-1થી જીતી

Karnavati 24 News

ગૌતમ ગંભીર ચાર વર્ષ પછી ક્રિકેટના મેદાન પર કરશે વાપસી, આ લીગમાં ભાગ લેશે

Karnavati 24 News

ક્રિસ ગેલ: ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝનો ખુલાસો ક્રિસ ગેલને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે તક આપવામાં આવશે નહીં, કહે છે કે તે સન્માન માટે યોગ્ય તક શોધી રહ્યો છે

Karnavati 24 News

અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ટીમ ઈન્ડિયા, 4 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં ક્રિકેટ મેચ

Admin

Shane Watson: શેન વોટસને ક્રિકેટમાં 5 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરી, વિરાટ નંબર વન

Karnavati 24 News