Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમરેલીના ખાંભા-ઉના રોડ પર બોલેરોને નડ્યો અકસ્માત; 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત



(જી.એન.એસ) તા. 18

અમરેલી,

અમરેલી જિલ્લાના ખાંભા-ઉના રોડ પર એક બોલેરોને ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખાંભા-ઉના રોડ પર ખડાધાર નજીક એક બોલેરો રોંગ સાઈડમાં એક મોટા ખાડામાં ઉતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, તેમ 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી 8 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાંભા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને અમરેલી ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ખાંભા તાલુકાના એક ગામથી દેવીપૂજક પરિવાર સહિતના લોકો સગાઈના પ્રસંગ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ખડાધાર ગામ નજીક અચાનક બોલેરો રોંગ સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી. બોલેરોમાં 30 જેટલા લોકો સવાર હતા. જેમાંથી 20 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

संबंधित पोस्ट

એર ઇન્ડિયાએ બોઇંગ 787 વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચોનું નિરીક્ષણ શરૂ કર્યું

Gujarat Desk

 સ્વતંત્રતા પછી પહેલીવાર ખંભાતના પાંદડ ગામે ક્ષત્રિય મહિલા સરપંચે દલિત સમાજ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો

Karnavati 24 News

 હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં PHDનું કોર્ષવર્કની પરીક્ષાનું પેપર હાથથી લખેલું છાત્રોને આપતા ચર્ચાસ્પદ બન્યું

Karnavati 24 News

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

સાવરકુંડલામાં રાજ દરબાર ગઢ ખંડેર બન્યો ,ઈમલો હટાવી રીનોવેશન કરવાની માંગણી ઉઠી

Admin

પ્રધાનમંત્રી મોદી આજે દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્કલેવનાં પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કરશે

Gujarat Desk