Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

સોરઠમાં સાયબર ફ્રોડ: 13 મહિનામાં 49 લોકોએ ગુમાવ્યા રૂ.1.63 કરોડ

જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ગત 13 મહિના દરમિયાન 48 લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું તો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યું છે અને આ લોકોએ કુલ 1.63 કરોડથી વધુની રકમ ગુમાવી છે લારી ધારકથી માંડી શિક્ષક અને એમડી તબીબ આંખના સર્જન પણ સાયબર ગઠિયાઓની જાળમાં ફસાઈ ગયા હતા. સાયબર ફ્રોડના બનાવો વધ્યા હોવાથી પોલીસ વિભાગને અલગથી સાઇબર પોલીસ સ્ટેશન સ્થાપવા પડ્યા છે મોબાઈલ નંબર બેન્ક ખાતા સાથે લિંક હોય અને અજાણતા મોબાઈલ ધારકથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સાયબર ગઠિયાઓ આવા લોકોને ફોન કરી લાલચ આપી અથવા ભોળવી મોબાઇલમાં એપ ડાઉનલોડ કરાવી બેન્ક ખાતામાં રહેલી રકમ ટ્રાન્સફર કરીને ખાતું સાફ કરી નાખે છે જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં 1 જાન્યુઆરી 2022 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન સાયબર ફ્રોડ અંગેના ચાર ડઝન જેટલા ગુના દાખલ થયા છે પરંતુ તેમાંથી ગણતરીના ગુનાઓમાં જ આરોપીઓ પકડાયા છે સાયબર પોલીસ છે એકાઉન્ટમાં પૈસા જમા થયા હોય ત્યાં તપાસ કરવા તે એડ્રેસ પર જાય તો ત્યાં તે વ્યક્તિનું અસ્તિત્વ જ હોતું નથી સીમકાર્ડ પણ બોગસ હોય છે આથી આવા સાયબર ફ્રોડ કરનાર ગઠિયાઓને પકડવામાં પોલીસને મહા મહેનત કરવા છતાં મોટા ભાગે સફળતા મળતી નથી

संबंधित पोस्ट

मध्य प्रदेश के रीवा में बस और बच्चों से भरी पिकअप में भिड़ंत,1 बच्ची की मौत, 20 घायल।

Admin

राजस्थान: प्रयागराज की नैनी जेल से साबरमती जेल जा रहा गेंगस्टर अतीक का काफला राजस्थान के बारां में रुका, जानें क्या है वजह?

અતીક અહેમદ હત્યાકાંડના પડઘા પાકિસ્તાન સુધી પડ્યા, જાણો શું કહે છે કંગાળ દેશના નેતાઓ?

Admin

સુરત: સોશિયલ મીડિયા થકી પ્રેમમાં પડેલી યુવતીએ શંકાશીલ પ્રેમી સાથે બોલવાનું બંધ કરતા બીભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી

Admin

કેનેડા: 21 વર્ષીય શીખ વિદ્યાર્થી પર હુમલો, પહેલા પાઘડી ઉતારી, પછી વાળ ખેંચીને રસ્તા પર ફેંકી દીધો

Karnavati 24 News

હત્યાનો બદલો હત્યા! અતીક અહેમદ અને ઉમેશ પાલની હત્યાની સ્ક્રિપ્ટ કેમ એક સરખી જ લાગે છે?

Admin